પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી સહિત ૪ લોકો કોરોના પોઝિટિવ

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ ઘાતક વાયરસની ઝપેટમાં વધુ એક નેતા અને તેમનો આખો પરિવાર સંક્રમિત થવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ મહિલા નેતા અને માજી મંત્રી વસુબેન ત્રિવેદીનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે વસુબેન ત્રિવેદીનો આખો પરિવાર કોરોના પોઝિટિવકે વસુબેન, નરેન્દ્રભાઈ, દક્ષભાઈ અને અભિબેન ત્રિવેદીને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને હાલ સમગ્ર પરિવાર સારવાર હેઠળ છે. બીજી તરફ તેમના સમર્થકો અને અન્ય પરિજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.