ખેડૂતોના નામે ફરનારા અને ચરનારા કેટલાય આવ્યા અને કેટલાય ગયા: નીતિન પટેલ

ગુજરાતના બજેટ ૨૦૨૧માં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પર મુખ્ય ફોકસ કરવામાં આવ્યુ હતું. બજેટ ૨૦૨૧માં ખેડૂતો માટે અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે. કૃષિ તથા બાગાયત વિભાગ માટે મોટી જાહેરાત કરી છે. જોકે, ખેડૂતો અંગે જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટકોર કરતા કહૃાું હતું કે, ‘ખેડૂતો એમ ને એમ અમારા તરફ નથી વળ્યા.

આ ખેડૂતોને ખબર છે કે, ભાજપ જ અમારો સાચો ઉદ્ધાર કરાનારું છે. બાકી ખેડૂતોના નામે ફરનારા અને ચરનારા કેટલાય આવ્યા અને કેટલાય ગયા…કોઈ માથે ન લેતા. હું બહારના લોકો માટે કહું છું. તમારા કોઈના માટે નથી કહેતો. આ અંશમાં બધા ચોખ્ખા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ આ ટકોર ગૃહમાં કરી હતી.