કચ્છ કસ્ટોડિયલ ડેથ કેસ : મુન્દ્રામાં જોવા મળી બંધની વ્યાપક અસર

જિલ્લાના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કેસમાં અટકાયતમાં લેવામાં આરોપીને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને ગંભીર હાલતમાં અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મોડી રાત્રે તેણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ કેસમાં મુખ્ય આરોપી એવા ત્રણ પોલીસ કર્મચારીઓની હજુ સુધી ધરપકડ ના કરવામાં આવતા ન્યાયની માંગ સાથે ગઢવી સમાજે સોમવારે મુન્દ્રા બંધનું એલાન આપ્યું હતું. મુન્દ્રા બંધને સફળ બનાવવા માટે તમામ વેપારી એસોસિએશનને અપીલ કરવામાં આવી હતી. જેને પગલે મુન્દ્રામાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મુન્દ્રાના સમાઘોઘા નિવાસી અરજણ ગઢવીનું પોલીસ અટકાયતમાં મોત થયા બાદ અન્ય એક આરોપી હરજોગ ગઢવીનું પણ અમદાવાદની હોસ્પિટલમાં મોડી રાત્રે મોત થયુ હતું. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકો પર અત્યાચાર અને ઢોર માર મારવાના કારણે એક યુવકનું પહેલા જ મોત થઈ ચૂક્યુ હતું. ગઢવી સમાજના અધ્યક્ષ વિજય ગઢવીનો આરોપ છે કે, પુરાવા વિના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં બરહેમીથી ફટાકારીને સમાજના બે યુવકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી ત્રમ પોલીસ કર્મચારીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

આથી ન્યાયની માંગણી સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે અંતર્ગત આજે સોમવારે મુન્દ્રા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મુન્દ્રામાં રહેલા દેવરાજ રતનભાઈ ગઢવીએ સમાઘોઘામાં રહેતા અરજણ ગઢવીનું પોલીસ કસ્ટડીમાં મોતનો કેસ દાખલ કરાવ્યો હતો. મુન્દ્રા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર સહિતના આરોપીઓએ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સમાઘોઘા ગામના પૂર્વ સરપંચનું નામ પણ આરોપીઓમાં સામેલ છે.