મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સંવેદનાપૂર્ણ સૈધ્ધાંતિક નિર્ણય
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લામાં ભૂકંપ પછીનાં પુનર્વસન અન્વયે નિર્માણ પામેલા આવાસોમાં વસવાટ કરતા પરિવારોને માલિકી હક- સનદ આપવાનો માનવીય સંવેદનાભર્યો સૈધ્ધાંતિક નિર્ણય લીધો છે.
રાજ્યનાં મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું હતું કે, કચ્છમાં 2001 માં આવેલા ભયાનક ભૂકંપ પછી તત્કાલીન સમય સંજોગોને ધ્યાનમાં રાખીને અલગ- અલગ સ્થળોએ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મકાનો અને આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં મોટા પાયે નુકશાન થયું હોવાથી ખૂબ જ વિશાળ સંખ્યામાં આવાસોની જરૂરિયાત ઉભી થઇ હતી.
Visit Saurashtra Kranti Homepage here
તેમણે કહ્યું હતું કે, આવા અનેક ગામોમાં વસવાટ કરતા ભૂકંપ અસરગ્રસ્તો પાસે મકાનો હતા પણ માલિકી હકની સનદ ન હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ આ મામલો આવ્યો હતો. આથી એમણે માનવીય અભિગમ બતાવી આવા મકાન ધારકોને માલિકી હક- સનદ આપવાનો નિર્ણય લીધો છે.
Read About Weather here
ભૂકંપ બાદ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા નિર્માણ કરાયેલા મકાનોને જ આ ફેસલો લાગુ કરશે. આવા જે ગામોમાં નિરાધાર પરિવારો માટે સંસ્થાઓએ મકાનો બનાવી આપ્યા છે. એ જગ્યાને ગામતળ નિમ કરવાનો પણ મહેસુલ વિભાગે નિર્ણય લીધો છે. આ રીતે સામાન્ય અને ગરીબ પરિવારોની પડખે ઉભા રહેવાનો અભિગમ ધરાવતા મુખ્યમંત્રીએ અનેક ભૂકંપ ગ્રસ્ત પરિવારોની લાંબા સમયથી પડતર સમસ્યાનું નિરાકરણ કર્યું છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here