ઓખા-અમદાવાદ સાપ્તાહિક ટ્રેન 28મી જાન્યુઆરી 2023 સુધી લંબાવવામાં આવી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે.પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ સુવિધા વધારવામાં આવી છે. અગાઉ અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 26 નવેમ્બર સુધી જાહેર કરવામાં આવી હતી તેને હવે 28મી જાન્યુઆરી, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેની વિગતો નીચે મુજબ છેઅમદાવાદ-ઓખા સ્પેશિયલ અમદાવાદથી 3 ડિસેમ્બર 2022થી 28 જાન્યુઆરી 2023 સુધી દર શનિવારે અમદાવાદથી 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.25 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે ઓખા-અમદાવાદ સ્પેશિયલ 4 ડિસેમ્બર થી 29 જાન્યુઆરી 2023 સુધી દર રવિવારે ઓખાથી 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે.

Read About Weather here

માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.ટ્રેનનું બુકિંગ 27 નવેમ્બરથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈને જોઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here