એનઓસી લેવા માટે હોસ્પિટલો અને શાળાઓને અગ્રતા આપવામાં આવશે: ઉદીત અગ્રવાલ

રાજકોટમાં ઉદયસિંહ આનંદ હોસ્પિટલના આગ કાંડ બાદ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે.રાજકોટમાં એનઓસી મુદ્દે કડક વલણ દાખવી રહેલી મહાનગરપાલિકાની સામે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા તાજેતરમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ તેઓએ સરકાર પાસે થોડો સમય માગ્યો હતો. જ્યારે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે ફાયરસેટીના મુદ્દા વિષે જણાવ્યું હતું કે એનઓસી લેવા માટે હોસ્પિટલો અને શાળાઓને અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત કોમ્પલેક્ષમાં આવેલી હોસ્પિટલોને પણ એનઓસી લેવી ફરજીયાત છે.

આગામી ૧૧ જાન્યુઆરીથી સરકારના આદેશ પ્રમાણે શાળાઓ ખૂલી રહી છે ત્યારે એક બાદ એક શાળાઓ દ્વારા એનઓસી મેળવવામાં આવે તે માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તૈયારી કરી લેવામાં આવી છે.એનઓસી માટે સૌ પ્રથમ હોસ્પિટલ અને ત્યારબાદ શાળાઓની પ્રાથમિકતા આપવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશનર ઉદિૃત અગ્રવાલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ઉમેર્યું હતું કે ફાયર એનઓસી મુદ્દે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં નિયમોને આધીન હોસ્પિટલો અને શાળાઓને તો એનોસી લેવી જ પડશે. તેમજ કોમ્પલેક્ષમાં આવેલી હોસ્પિટલોને પણ એનઓસી લેવી ફરજીયાત છે.

આ ઉપરાંત સેકન્ડ ઈમરજન્સી ગેઈટ સમયે તમામ માટે મુશ્કેલીના સમયમાં લાભદાયક હોય છે.માટે તે મામલે પણ નિયમોનું પાલન કરવાનું રહેશે તેમજ સેટીના સાધનો એમઆરપી થી વધારે રૂપિયા લઇ શકશે નહીં. જો કોઈ વધારે રૂપિયા લેતા જણાશે અને ફરિયાદ મળશે તો તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.