આગામી સમયમાં એક લાખ યોગ ટ્રેનર તૈયાર કરાશે: વિજય રૂપાણી

મુખ્યમંત્રી યોગ શિબિરના સમાપન સમારંભમાં હાજર રહૃાા

ઇઝ ઓફ ડુઇંગની સાથે રાજ્ય હવે ઇઝ ઓફ લીવિંગમાં પણ શ્રેષ્ઠત્તમ બની રહૃાું છે

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આવી જ એક ત્રિ-દિવસીય યોગ શિબિરના સમાપન સમારંભમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહૃાું કે, યોગ માનવશરીરના મન, બુધ્ધિ અને આત્માને આધ્યાત્મિક રીતે સહજ કરીને પરમાત્મા સાથે જોડે છે.આ આધ્યાત્મિક ધારણાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન મોદીએ ૨૧ જૂનના દિવસને સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વ યોગ દિવસ તરીકે પ્રસ્થાપિત કરી ભારતને વિશ્ર્વ ગૂરૂ બનવા તરફની રાહ ચિંધી છે. રાજ્ય યોગ બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં ૭૫૦ યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં ૧ લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને વધુને વધુ લોકોને યોગ વિશે જાગૃત કરવાનો કૃતસંક્લપ છે. અત્યાર સુધીમાં ૫ હજારથી વધુ યોગ વર્ગ ચલાવીને મોટી સંખ્યામાં યોગસાધકોને યોગ સાથે જોડ્યા છે.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનની યોગ પ્રત્યેની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. જેમાં વધુને વધુ યોગ ટ્રેનરો જોડાઇને વિવિધ યોગ શિબિરો દ્વારા રાજ્યમાં અબાલવૃધ્ધોને યોગસાધનાની પ્રેરણા આપી રહૃાાં છે. આ ટ્રેનીંગ રાજયના નાગરિકોને નિરોગી બનાવવા અસરકારક સાબિત થઇ રહી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે,ગુજરાત રાજ્ય યોગને અપનાવીને નાગરિકોને સ્વસ્થ અને નિરોગી બનાવી ઉત્તમથી સર્વોત્તમ ભણી આગળ વધી રહૃાુ છે.રાજ્યનો દરેક નાગરિક સ્વસ્થ રહે અને ઇઝ ઓફ ડુઇંગની સાથે ઇઝ ઓફ લિવીંગ તરફ પણ આગળ વધે તે માટે આવી યોગ શિબિરો ખૂબ જ જરૂરી છે એવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સાબરમતી નદીના તટ પર મોટી સંખ્યામાં ઉપસ્થિત યોગ સાધકોને અભિનંદન પાઠવતા કહૃાું કે,આપ બધાએ એકજૂથ બની યોગ દ્વારા રાષ્ટ્રને તંદૃુરસ્તી સાથે સલામતીનો સંદેશ પાઠવ્યો છે. તેઓએ ઉમેર્યુ કે , કોરાના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા યોગ કરીશું અને કોરોનાને હરાવીશુ ના સૂત્રને સ્વીકારીને કોરોના સામેની લડતમાં સફળતા હાંસલ કરી છે.