અંકલેશ્ર્વરમાં ઇકો કારના સાઈલેન્સરની ચોરી કરતાં બે ઝડપાયા, એક ફરાર

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી શહેર પોલીસે ઇકો કાર ના સાઇલેન્સર ની ચોરી કરતા બે શખ્સો ને ઝડપી પાડી બે નંગ સાઇલેન્સર કબ્જે કરી ફરાર એક શખ્સ ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ સુરત જિલ્લા ના માંગરોળ તાલુકાના હથોડા ગામે રહેતા ઇમરાન અયુબ ગુલઝાર ની ઇકો કારના સાઇલેન્સરની ચોરી થઇ હતી અંકલેશ્વર નજીક તેઓની ઇકો કારનું કોઈક શખ્સો દ્વારા ઓરીજનલ સાઇલેન્સર કાઢી લઇ ડુપ્લીકેટ સાઇલેન્સર ફિટ કરી દીધું હતું તેઓ એ ગેરેજ ઉપર તપાસ કરાવતા સાઇલેન્સર ચોરી બહાર આવી હતી , સાઇલેન્સર ચોરી બાબતે ઇમરાન ગુલઝારે અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે તપાસ શરુ કરતા મળેલી માહિતીના આધારે વાલિયા ચોકડી બ્રિજ નીચેથી ભડકોદ્રાની આદિત્ય નગર સોસાયટીમાં રહેતા સુનિલ શ્રી નારાયણ મિશ્રા અને ખરોડ ગામે રહેતા ઇબ્રાહિમ ઈદ્રીશ અટનને ઝડપી પાડ્યા હતા, જયારે ખરોડ ગામનો અહેમદ બાવા નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો શહેર પોલીસે બન્ને પાસેથી બે નંગ ઇકો કારના સાઇલેન્સર કબ્જે કરી ફરાર અહેમદ બાવાની ધરપકડની કવાયત હાથ ધરી છે.