ખાનપુર તાલુકા પંચાયતની કારંટા બેઠક પર આપના ઉમેદવારનો વિજય

મહીસાગર જિલ્લામાં આપની એન્ટ્રી થઈ છે. ખાનપુર તાલુકા પંચાયતની કારંટા બેઠક પર આમ આદમી પાર્ટીના અરિંવદ પટેલની જીત થઈ છે.જેને કારણે આપના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે. ખાનપુર તાલુકાની બે બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય, બાલાશિનોરની બે બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. મહીસાગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૬૪.૭૪ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે તાલુકામાં ૬૪.૭૪ ટકા મતદાન નોંધાયું હતું.

મહીસાગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો અને ૬ તાલુકા પંચાયતોની ૧૨૬ બેઠકો પર ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ૨૦૧૫માં મહીસાગર જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની પૈકી ૪ પંચાયતો પર કોંગ્રેસ અને ૨ તાલુકા પંચાયતો પર ભાજપે સત્તા મેળવી હતી. જ્યારે મહીસાગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો પૈકી ૧૬ બેઠકો કોંગ્રેસને ૧૨ બેઠકો ભાજપને મળી હતી.