T20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડની સેમી-ફાઈનલના બે દિવસ પહેલાં મંગળવારે સવારે કેપ્ટન રોહિત શર્મા વિશે ખરાબ સમાચાર આવ્યા હતા. એડિલેડમાં પ્રેક્ટિસ દરમિયાન તેને જમણા હાથના કાંડામાં ઈજા થઈ છે, જોકે ઈજા ગંભીર નહોતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત થ્રોડાઉનની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
તેણે 18-20 બોલ જ રમ્યા હતા કે 150થી વધુ સ્પીડે રાઘવેન્દ્રનો એક બોલ તેના જમણા હાથના કાંડા પર વાગ્યો અને તે પ્રેક્ટિસ છોડીને બહાર આવી ગયો હતો. દુખાવાને કારણે 40 મિનિટ સુધી બહાર બેસી રહ્યો. જોકે તબીબી સારવાર બાદ રોહિત પ્રેક્ટિસમાં પાછો ફર્યો હતો. રોહિતની ઈજા અંગે બીસીસીઆઈ તરફથી કોઈ અપડેટ નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here